Add parallel Print Page Options

લોકોના પાપ વિષે મીખાહની વ્યાકુળતા

હું કેટલો ઉદાસ છું!
    કારણકે હું એવો વ્યકિત થઇ ગયો છું જેને ઉનાળુ કાપણી પછી
અને દ્રાક્ષ ભેગી કરવાની ઋતુ પછી ખાવા માટે દ્રાક્ષ મળતી નથી
    અથવા તો જેના માટે તીવ્ર ઇચ્છા રાખી હતી તે પહેલું ફળ મળતું નથી.
ભૂમિ પરથી બધાંજ ધામિર્ક
    માણસો નાશ પામ્યા છે,
ને મનુષ્યોમાં કોઇ પ્રામાણિક રહ્યો નથી;
    કોઇનું ખૂન કરવાનો લાગ શોધી રહ્યાં છે,
તેમના હાથ દુષ્કૃત્યો કરવામાં પાવરધા છે.
    અમલદારો લાંચ માંગે છે,
આદરણીય લોકો પણ નિષ્ઠુરતાથી પોતાના
    સ્વાર્થનીજ વાતો કરે છે અને પોતાનું ધાર્યું કરે છે.
તેઓમાં જે શ્રેષ્ઠ છે તેઓ કાંટા ઝાંખરા જેવા છે;
    સૌથી વધારે પ્રામાણિક ગણાય છે તેઓ ઝાંખરામાંથી બનાવેલી વાડ જેવા છે,

ચોકીદારોનો દિવસ આવી રહ્યો છે

પણ હવે તમારો ચોકીદારોનો દિવસ સત્વરે આવે છે.
    તમારી શિક્ષાનો સમય લગભગ આવી ગયો છે;
ગૂંચવણ, વિનાશ અને ગભરાટનો
    તમે અનુભવ કરશો.
પડોશીનો વિશ્વાસ કરશો નહિ,
    મિત્ર ઉપર આધાર રાખશો નહિ,
તમારી પ્રાણથી પ્યારી પત્ની આગળ
    પણ મોઢાંનું દ્વાર સંભાળી રાખજો.
કારણકે એક પુત્ર પોતાના પિતાનો આદર કરતો નથી.
    પુત્રી માની સામે થાય છે,
ને વહું પોતાની સાસુની સામી થાય છે;
    માણસના કુટુંબીઓ જ તેના વૈરી બની ગયા છે.

યહોવા બચાવનાર છે

પણ હું તો યહોવા તરફ જોઇશ,
    હું મારા તારણ કરનાર દેવની વાટ જોઇશ;
    મારા દેવ મને સાંભળશે.
હે મારા દુશ્મન, મારી દુર્દશામાં હર્ષ ન કર;
    જો હું પડી જાઉં, તો પણ હું પાછો ઊઠીશ;
જો હું અંધકારમાં બેસું,
    તો પણ યહોવા મને અજવાળારૂપ થશે.

યહોવા ક્ષમાં કરે છે

હું યહોવાનો કોપ સહન કરીશ,
    કારણકે મેં તેમની વિરુદ્ધ પાપ કર્યું છે.
તેઓ મારી તરફદારી કરશે
    અને મને ન્યાય કરશે ત્યાં સુધી.
દેવ મને અંધકારમાંથી પ્રકાશમાં લાવશે
    અને હું તેમનું ન્યાયીપણું જોઇશ.
10 મારા દુશ્મનો આ જોશે
    અને જેઓ મને એમ કહેતાં હતાં કે,
“તારા દેવ યહોવા કયાં છે?”
    તેઓ શરમિંદા બની જશે, મારી આંખો આ જોશે,
તેણી રસ્તાના કાદવની જેમ પગ
    તળે કચડાયેલી જગ્યા બની રહેશે.

યહૂદીઓ પાછા ફરશે

11 જે દિવસે તારા કોટ બંધાશે,
    તે દિવસે તારી સરહદ બહુ દૂર થશે.
12 તે દિવસે લોકો-આશ્શૂરથી મિસર સુધીના,
    અને મિસરથી તે ફ્રાત નદી સુધીના,
સમુદ્રથી સમુદ્ર સુધીના,
    અને પર્વતથી પર્વત સુધીના,
લોકો બધે ઠેકાણેથી
    તારે ત્યાં આવશે.
13 પણ પૃથ્વી એનાં લોકોને કારણે
    અને તેમણે કરેલાં કર્મોના ફળરૂપે વેરાન બની જશે.
14 હે યહોવા, આવો અને તમારા લોકો ઉપર અધિકાર ચલાવો,
    તમારા વારસાનાં ટોળાને દોરવણી આપો;
તેઓને કામેર્લના જંગલમાં એકલા રહેવા દો.
    ભલે અગાઉના દિવસોની જેમ બાશાન
અને ગિલયાદમાં તેઓ આનંદ પ્રમોદ કરે.

ઇસ્રાએલ પોતાના શત્રુઓને હરાવશે

15 જેવી રીતે મિસરની ભૂમિમાંથી છૂટયા હતાં
    તે દરમ્યાન કર્યુ હતું તેવીજ રીતે અદૃભૂત કામો હું બતાવીશ.
16 અન્ય પ્રજાઓ આ જોશે
    અને પોતાની સર્વ શકિત હોવા છતાં લજ્જિત થશે;
તેઓ પોતાના હાથ પોતાના મોં પર મૂકશે,
    તેઓના કાન બહેરા થઇ જશે.
17 તેઓ સાપની પેઠે ધૂળ ચાટશે;
    જમીન ઉપર પેટેથી ઘસડાતા
પ્રાણીઓની જેમ તેઓ પોતાના
    કિલ્લાઓમાંથી બહાર આવશે.
    તેઓ આપણા દેવ યહોવાને કારણે ભયથી
થરથર કાંપશે અને તારાથી ડરીને ચાલશે.

યહોવાની સ્તુતિ કરો

18 તમારા જેવા દેવ બીજા કોણ છે?
    કારણકે તમે તો પાપ માફ કરો છો
    અને તમારા વારસાના બચેલા ભાગના અપરાધને દરગુજર કરો છો;
તમે પોતાનો ક્રોધ કાયમ રાખતા નથી;
    કારણ કે તમે કરુણામાં જ રાચો છો.
19 તમે ફરી એક વખત અમારા ઉપર કૃપા કરશો
    અને અમારા અપરાધોને પગ તળે કચડી નાખશો.
    અને અમારા બધા પાપોને દરિયામાં પધરાવી દેશો.
20 તમે યાકૂબને વિશ્વાસપાત્ર હશો અને ઇબ્રાહિમને કૃપાપાત્ર હશો જેમ
    તમે પ્રાચીન કાળથી અમારા પૂર્વજોને વચન આપ્યુ હતું.