Add parallel Print Page Options

દાઉદના અંતિમ વચનો

23 દાઉદનાં અંતિમ વચનો આ છે:

“આ વચનો યશાઇનો પુત્ર દાઉદ તરફથી છે.
    આ વચનો એ માંણસ તરફથી છે
કે જેને યાકૂબના દેવે રાજા તરીકે અભિષિકત કર્યો હતો,
    જે ઇસ્રાએલનો મધુર ગાયક છે.
યહોવાનો આત્માં માંરા દ્વારા બોલે છે,
    અને તેમનાં વચનો માંરા હોઠ ઉપર છે.
ઇસ્રાએલના દેવ માંરી સાથે બોલે છે.
    ઇસ્રાએલના ખડકે મને કહ્યું કે,
‘જે ન્યાયપૂર્વક લોકો પર શાસન કરે છે.
    જે રાજા દેવનો આદર કરીને રાજ કરે છે.
તે વ્યકિત પ્રભાતના તેજસ્વી પ્રકાશ
    જેવો વાદળ વિનાની સવાર જેવો થશે;
વર્ષા પછી સૂર્યપ્રકાશથી ઊગી
    નીકળતાં કૂમળા ઘાસ જેવો તે થશે.’

“દેવે માંરા કુળને મજબૂત અને સુરક્ષિત બનાવ્યું,
    દેવે કરાર કર્યો છે જે અનંતકાળ રહેશે,
તે દરેક રીતે સુરક્ષિત છે.
    દેવે મને વિજય અને મને જે કાંઇ જોઇએ તે આપશે.
તે માંરી બધી ઇચ્છાઓ
    અને મહત્વકાંક્ષાઓ પરિપૂર્ણ કરશે.

“પરંતુ દુષ્ટ લોકો કાંટા જેવા છે;
    કે જે કોઇને પણ તેઓના હાથમાં રાખવા ગમતાં નથી.
    તેઓ તેમને ફેંકી દે છે.
જો કોઇ વ્યકિત તેમને અડવા જાય
    તો લોખંડના લાકડાના ભાલાની જેમ વાગે છે.
એમને તો આગમાં ફેંકી દેવામાં આવશે.
    અને સદંતર નાશ કરી દેવામાં આવશે.”

ત્રણ શૂરવીરો

દાઉદના સૈન્યના શ્રેષ્ઠ શૂરવીરોમાં પ્રથમ ત્રણ આ પ્રમાંણે છે:

પ્રથમ તાહખમોની યોશેબ-બાશ્શેબેથ, જે વીર-ત્રિપુટીનો નાયક હતો, એક યુદ્ધમાં એણે ભાલો ચલાવીને 800 માંણસોનો સંહાર કર્યો હતો.

દાઉદના ત્રણ શૂરવીર યોદ્ધાઓમાં બીજો દોદોનો પુત્ર આહોહીનો એલઆઝાર હતો. જે દાઉદ સાથેના ત્રણ શૂરવીરોમાંથી એક હતો, જ્યારે પલિસ્તાનીઓએ પડકાર કર્યો હતો. તેઓ લડાઇને સારું એકઠાં થયા હતા પણ ઇસ્રાએલીઓનું લશ્કર ભાગી ગયું હતું. 10 તે થાકી ગયો ત્યાં સુધી પલિસ્તીઓની સાથે લડ્યો છતાં પણ તેણે તરવાર હાથમાં પકડી રાખી હતી. તે દિવસે દેવે ઇસ્રાએલીઓને મહાન વિજય આપ્યો. એલઆઝારે પલિસ્તાનીઓને હરાવ્યા પછી ઇસ્રાએલીઓ દુશ્મન સૈનિકોના મૃતદેહો આગળથી ફકત લૂંટેલો માંલ લેવા ગયા.

11 ત્રીજો શૂરવીર સૈનિક આગીનો પુત્ર હારારનો શામ્માંહ હતો. એક વખત પલિસ્તીઓ લડવા માંટે એકઠાં થયા હતાં, ત્યાં મસૂરનું એક ખેતર હતું. પલિસ્તીઓથી ડરીને ઇસ્રાએલીઓ નાસી ગયાં હતાં. 12 પણ શામ્માંહ ખેતરની વચ્ચે ઊભો રહ્યો, ખેતરનું રક્ષણ કર્યુ અને પલિસ્તીઓને હરાવી દીધા. તે દિવસે પણ યહોવાએ મોટો વિજય અપાવ્યો હતો.

13 કાપણીના સમયે શરૂઆતમાં જયારે પલિસ્તીઓની એક ટુકડી રફાઈમની ખીણમાં હતી ત્યારે ત્રીસ શૂરવીરોમાંના ત્રણ તે વખતે અદુલ્લામની ગુફામાં રહેતા દાઉદ સાથે જોડાયા.

14 બીજીવાર ત્યારે દાઉદ ગઢમાં રહેતો હતો. પલિસ્તી સૈનિકોની ટૂકડી બેથલેહેમમાં હતી. 15 દાઉદ ઝૂરવા લાગ્યો અને બોલી ઊઠયો, “આહ! બેથલેહેમના દરવાજા પાસેના કૂવાનું પાણી મને કોઈ લાવી આપે તો કેવું સારું!” 16 ત્યારે આ ત્રણ શૂરવીરોએ પલિસ્તીઓની છાવણીમાંથી પસાર થઈને કૂવામાંથી પાણી ખેંચ્યું અને દાઉદ પાસે લાવ્યાં. પણ દાઉદે તે પીવાની ના પાડી અને યહોવાની આગળ રેડી દીધું. 17 તે બોલ્યો, “ઓ યહોવા, આ હું કેવી રીતે પી શકું? એ તો માંરા માંટે પોતાના પ્રાણ સંકટમાં મૂકનાર આ ત્રણ શૂરવીરોનું લોહી પીધા બરાબર છે.”

અન્ય શૂરવીર યોદ્ધાઓ

18 યોઆબના ભાઈ સરૂયાનો પુત્ર અબીશાય ત્રણ શૂરવીરોમાં સૌથી વધારે શૂરવીર હતો. એક વખતે તેણે એકલા હાથે ત્રણસો માંણસોની સાથે યુદ્ધ કરી તેઓનો સંહાર કર્યો હતો. આ વીરતા ભરેલા કાર્યને લીધે આ ત્રણ શૂરવીરોમાં તે ખૂબ પ્રખ્યાત થયો. 19 તે પ્રખ્યાત હોવાથી તે તેઓમાંનો ન હોવા છતાં તેઓનો સરદાર બન્યો હતો.

20 યહોયાદાનો પુત્ર કાબ્સએલનો બનાયા પણ શૂરવીર પુરુષ હતો અને તેણે અનેક શૂરવીર કાર્યો કર્યા હતા. તેણે મોઆબના અરીએલના બે બળવાન પુત્રોને માંરી નાખ્યા હતા, અને એક દિવસે જ્યારે બરફ પડતો હતો, તેણે એક ખાડામાં ઊતરીને એક સિંહને માંર્યો હતો. 21 વળી પ્રચંડકાય એક મિસરીને પણ માંરનાર એ જ હતો. તે મિસરીના હાથમાં ભાલો હતો પણ બનાયા ફકત એક લાકડી લઈને તેની સામે પહોંચી ગયો અને તેના હાથમાંથી ભાલો ઝૂંટવી લઈ તેના વડે જ તેને માંરી નાખ્યો. 22 બનાયા આવાં કાર્યોને લીધે જ પેલા ત્રણ શ્રેષ્ઠ શૂરવીરો જેટલું જ નામ મેળવ્યું. 23 તે ત્રીસ વીરો કરતાં પણ વધારે વિખ્યાત હતો, પણ તે ત્રણ વીરોમાંનો એક નહોતો. દાઉદે તેને પોતાના અંગરક્ષકોનો મુખ્ય અધિકારી બનાવ્યો હતો.

ત્રીસ શૂરવીરો

24 બીજા શૂરવીરોનાં નામ આ પ્રમાંણે છે:

યોઆબનો ભાઈ અસાહેલ,

બેથલેહેમમાંથી દોદોનો પુત્ર એલ્હાનાન;

25 હરોદમાંથી શામ્માંહ અને અલીકા;

26 પાલટીમાંથી હેલેસ,

તકોઈમાંથી ઇકેકેશનો પુત્ર ઇરા,

27 અનાથોથમાંથી અબીએઝેર;

હુશાથમાંથી મબુન્નાય;

28 અહોહમાંથી સાલ્મોન;

નટોફાથમાંથી માંહરાય;

29 નટોફાથી બાઅનાહનો પુત્ર હેલેબ;

બિન્યામીન ગિબયાહમાંથી રીબાયનો પુત્ર ઇત્તાય;

30 પિરઆથોનમાંથી બનાયા;

ગાઆશના નાળામાંથી હિધ્રાય;

31 આર્બાથી અબીઆલ્બોન;

બાર્હુમીમાંથી આઝમાંવેથ;

32 શાઆલ્બોનમાંથી એલ્યાહબા;

યાશેનના પુત્રોમાંથી

યોનાથાન; 33 હારારથી શામ્માંહ, પુત્ર,

અરારમાંથી શારારનો પુત્ર અહીઆમ;

34 માંઅખાથીના પુત્ર અહાસ્બાય દીકરો

અલીફેલેટ અહીથોફેલ ગિલોનીનો દીકરો અલીઆમ;

35 કામેર્લમાંથી હેસ્રોઇ,

આર્બામાંથી પ્રાય.

36 સોબાહમાંથી નાથાનનો પુત્ર યિગઆલ;

ગાદમાંથી બાની;

37 આમ્નોનમાંથી સેલેક;

બએરોથમાંથી નાહરાય; નાહરાય સરૂયાના પુત્ર યોઆબનો શસ્ત્રવાહક હતો.

38 યિથામાંથી ઇરા અને ગારેબ,

39 ઊરિયા હિત્તી,

એમ બધા મળીને કુલ સાડત્રીસ માંણસો હતા.